PM Kishan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેની શરૂઆત 1 ડિસેમ્બર 2018થી થઈ હતી અને તેની ઔપચારિક જાહેરાત 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન કરવામાં આવી હતી. આ યોજના નાના અને સીમાંત ખેડૂતોની ખેતી સંબંધિત અને ઘરેલું ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.
પીએમ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
પીએમ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે જરૂરી ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવી. ખેડૂતોને ખેતીની પેદાશોની યોગ્ય કાળજી અને ઉત્પાદન માટે સહાય કરવી. ખેડૂતોને સાહુકારોના દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે સમર્થન આપવું.
પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધોરણ
- ખેડૂતોના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ (2 હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પાત્ર છે).
- યોજના હેઠળ પરિવારમાં પતિ, પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે.
- ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ.
- શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના ખેડૂતો પાત્ર છે.
- જમીનની નોંધણી 1 ફેબ્રુઆરી 2019ની સ્થિતિએ ખેડૂતના નામે હોવી જોઈએ, અને આગામી 5 વર્ષ સુધી તેમાં ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં (જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યો સિવાય).
પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે?
અત્યાર સુધીમાં, સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20 હપ્તા રિલીઝ કર્યા છે. સરકાર દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં હપ્તા મોકલે છે. આ મહિનામાં, 20મો હપ્તો પણ 2 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતો તેમના ખાતામાં 21મો હપ્તો ક્યારે મોકલવામાં આવશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખેડૂતોને નવેમ્બર 2025 માં 21મા હપ્તાની રકમ મેળવી શકે છે. આનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે અને તેઓ ખેતી સંબંધિત તેમના ખર્ચ સરળતાથી પૂરા કરી શકશે.