ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે પરીક્ષા? - Gov Yojana
Posts

ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે પરીક્ષા?

પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ : રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા આગામી ઓક્ટોબર માસમાં યોજાશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, પરીક્ષાઓની શરૂઆત તારીખ ૦૬ ઓક્ટોબર, ૨૦૨૫ ને સોમવારથી થશે.

જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માટે અલગ-અલગ સમયે પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૩ થી ૫ માટે પરીક્ષાનો સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૦૦ સુધીનો રહેશે અને કુલ ૪૦ ગુણના પ્રશ્નપત્રો રહેશે. જ્યારે ધોરણ ૬ થી ૮ માટે પરીક્ષાનો સમય બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ સુધીનો રહેશે અને કુલ ૮૦ ગુણના પ્રશ્નપત્રો રહેશે (કેટલાક વિષયોના સમયમાં ફેરફાર છે).

પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ 2025

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:

ધોરણ ૩ થી ૫ પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ

તારીખવારવિષયસમય
૦૭/૧૦/૨૦૨૫મંગળવારગુજરાતી૧૧:૦૦ થી ૧૩:૦૦
૦૮/૧૦/૨૦૨૫બુધવારગણિત૧૧:૦૦ થી ૧૩:૦૦
૦૯/૧૦/૨૦૨૫ગુરુવારહિન્દી૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૦/૧૦/૨૦૨૫શુક્રવારપર્યાવરણ૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૩/૧૦/૨૦૨૫સોમવારઅંગ્રેજી૧૧:૦૦ થી ૧૩:૦૦
૧૪/૧૦/૨૦૨૫મંગળવારપ્રથમભાષા (મરાઠી/ઉર્દુ વગેરે)૧૧:૦૦ થી ૧૩:૦૦

ધોરણ ૬ થી ૮ પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ

તારીખવારવિષયસમય
૦૬/૧૦/૨૦૨૫સોમવારસામાજિક વિજ્ઞાન૧૧:૦૦ થી ૧૪:૦૦
૦૭/૧૦/૨૦૨૫મંગળવારગુજરાતી૧૪:૦૦ થી ૧૭:૦૦
૦૮/૧૦/૨૦૨૫બુધવારગણિત૧૪:૦૦ થી ૧૭:૦૦
૦૯/૧૦/૨૦૨૫ગુરુવારહિન્દી૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૦/૧૦/૨૦૨૫શુક્રવારવિજ્ઞાન૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૧/૧૦/૨૦૨૫શનિવારસંસ્કૃત૦૮:૦૦ થી ૧૧:૦૦
૧૩/૧૦/૨૦૨૫સોમવારઅંગ્રેજી૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૪/૧૦/૨૦૨૫મંગળવારપ્રથમભાષા (મરાઠી/ઉર્દુ વગેરે)૧૪:૦૦ થી ૧૭:૦૦

Post a Comment